સમુહલગ્નોત્સવના લાભાર્થે મોરબીના બેલા ગામે 3જીએ રામામંડળ

બેલા ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત સમુહલગ્નોત્સવના લાભાર્થે આગામી તા.3જી જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ કનેસરાધામ રામામંડળનું બેલા ગામે આયોજન કરાયું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા નીતિનભાઈ જ્યંતિભાઈ કાવઠીયા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે રીંકલ પટેલ મો.96878 38111,પ્રવીણ નસીત મો.88490 62803,શક્તિસિંહ જાડેજા મો.87804 38385 પર સંપર્ક કરવો.