સરકારના જુઠ્ઠાણા ખુલ્લા પાડવા યુથ કોંગ્રેસ – એનએસયુઆઈને તાલીમ આપતી કોંગ્રેસ

 

દ્વારકા : આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા કાર્યકરોની ફૌજને તાલીમબદ્ધ કરી સરકારના જુઠ્ઠાણાઓ ખુલ્લા પાડવા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ માટે તીર્થનગરી દ્વારકામાં બે દિવસીય તાલીમ શીબીર યોજવામાં આવી હતી. આહીર સમાજ વાડી ખાતે યોજાયેલ આ શિબિરમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.

 

આહીર સમાજ વાડી દ્વારકા ખાતે પોરબંદર લોકસભા વિસ્તારના યુથ કોંગ્રેસ એનએસયુઆઈના યુવા કાર્યકર ભાઈઓ અને બહેનો માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં યુવા કાર્યકરોને દેશની રાજકીય અને સામાજિક તેમજ આર્થિક બાબતના મુદ્દાઓ તેમજ સવિધાંનના પ્રશ્નો વગેરે બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી ઉપરાંત યુથને સરકારના જુઠ્ઠાણા ખુલ્લા પાડવા અને લોકો પ્રશ્ને લડત આપવા પણ તાલીમબદ્ધ કરાયા હતા.

 

વધુમાં આગામી ચૂંટણીઓમાં યુવા કાર્યકરો નવા જોમ સાથે લોકપ્રશ્નો ઉઠાવી વ્યાપક જનસંપર્ક કેળવવા પણ વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

આ બે દિવસીય શિબિરમાં અર્જુનભાઈ મોઢવાડિયા, જયદ્રથસિંહ પરમાર, ડૉ. મનીષ દોશી સહિત ને ૧૨ જેટલા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ પોતપોતાના વિચારો રજૂ કરી યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓમાં નવો જોમ પૂર્યો હતો.