દ્વારકામાં ભિક્ષુક – સાધુઓને ધાબળાઓનું વિતરણ

દ્વારકા : દ્વારકામાં વધતી જતી ઠંડીના પ્રમાણ વચ્ચે રૂક્ષ્મણી મંદિરે ભિક્ષાવૃત્તિ કરતા ભિક્ષુકોને સાધુઓને નાવદ્રાગામના સુરજગીરી બાપુ અને સંતો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

દિન-પ્રતિદિન વધતી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભિક્ષુકો પાસે ઠંડીથી રક્ષણ મેળવવા ધાબળા કે શાલ ન હોવાથી રૂક્ષ્મણી મંદિર ખાતે નાવદ્રાગામના સુરજગીરી બાપુ અને સંતો દ્વારા જરૂરિયાતમંદ સાધુઓને વ્હારે આવ્યા હતા.રૂક્ષ્મણી મંદિર બહાર ભિક્ષાવૃતિ કરતા સાધુઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.