ખંભાળિયાની જી.વી.જે. હાઈસ્કૂલના નિવૃત આચાર્ય એન.એસ. મડમનું અવસાન

જામ ખંભાળિયા: જુનાગઢ નિવાસી નુરમહમદ સુલેમાનભાઈ મડમ (એન.એસ. મડમ, નિવૃત પ્રિન્સિપાલ, જી.વી.જે. હાઈસ્કૂલ જામ ખંભાળિયા, ઉ.વ. 72) તે મરહૂમ હુશેનભાઈ, ઈબ્રાહીમભાઈ, સલીમભાઈ અને યુસુફભાઈ મડમના મોટાભાઈ તેમજ મુસ્તાક અને કરિશ્મા સમાના પિતાશ્રી તેમજ આસિફભાઈ સમા (જામનગર)ના સસરા તા. 9 ના રોજ અવસાન પામ્યા છે. તેમની જિયારત મંગળવાર તારીખ 11 ના રોજ ભાઈઓ માટે સવારે 10 વાગ્યે મસ્જિદે તયબા, હર્ષદનગર, ખામધ્રો રોડ- જૂનાગઢ ખાતે તથા બહેનો માટે યોગેશ્વર નગર, મદીના મસ્જિદ પાસે આવેલા તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.