કલ્યાણપુરના ધતુરીયા ગામે વિનામૂલ્યે નિદાન- સારવાર કેમ્પ યોજાયો

150 જેટલા દર્દીઓને સારવાર અપાઈ

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે તાજેતરમાં મુકામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 150 જેટલા દર્દીઓને અલગ અલગ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરી, વિનામૂલ્યે દવા આપવામાં આવેલી હતી.

આ કેમ્પને સફળ બનાવવા માટે ધતુરીયા ગામના સરપંચ હેમંતભાઈ ડેર, કલ્યાણપુર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ જગદીશભાઈ ડેર, સાથે ગ્રામ પંચાયતના સદસ્યો, ગામની શાળાના આચાર્ય, તમામ‌ શીક્ષકો વિગેરેની જહેમત સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ કેમ્પની સફળતા બદલ આયોજકો વતી ડોક્ટર સાગર ભૂત દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.