તીર્થધામ દ્વારકામાં શરૂ થશે RTPCR લેબોરેટરી

રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર થનાર આધુનિક લેબોરેટરીની તમામ તૈયારી પૂર્ણ

દ્વારકા : યાત્રાધામ દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આધુનિક આરટીપીસીઆર લેબ શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

યાત્રાધામ દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે અંદાજે 45 લાખના ખર્ચે આધુનિક લેબોરેટરી શરૂ કરવામાં આવશે. જે માટે તમામ મશીનરીઓ અને ટેકનિકલ સાધનો સહિત તમામ ઇસ્ટુમેન્ટ પણ પાંચેક મહિનાઓથી તૈયાર થઈ આવી ચૂક્યા છે. હવે આઇસીએમઆરની મંજૂરીની રાહ જોવાય રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે ચાર દિવસમાં જ તીર્થનગરી દ્વારકા તેમજ આસપાસના વિસ્તારો માટે આ સુવિધા મળી રહેશે.

હાલ આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા છેક જીલ્લા મથક ખંભાળિયા સુધી લાંબુ થવું પડે છે. આ રિપોર્ટને 48થી 72 કલાક જેટલો સમય આવતા લાગે છે.ત્યારે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતા સાંજ સુધીમાં રિપોર્ટ મળી શકશે.અને પોઝીટીવ દર્દીને વહેલી ખબર પડી જશે તેથી સંક્રમણ પણ ઓછું થશે.

હાલ આઇસીએમઆર વિભાગની મંજૂરી બાદ 11 જેટલા કર્મચારીઓ લેબ ટેકનિશ્યનની જરૂર પડશે જે અંગે પણ તૈયારીઓ ચાલી રહી હોવાનું સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ.વિપુલ ચંદારાણાએ જણાવ્યું હતું.