પંજાબની ઘટનાના વિરોધમાં દ્વારકા ભાજપ દ્વારા મૌન ધરણા

દ્વારકા : દ્વારકામાં ભારતીય જનતા પાર્ટી તેમજ અનુસૂચિત જાતિ મોરચા તેમજ મહિલા મોરચા દ્વારા મૌન ધરણાં કરી પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂક બાબતને વખોડી હતી .

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની સુરક્ષામાં જે ચેડા થયા હતા તેમને સખ્ત શબ્દોમાં વખોડી દ્વારકા ભાજપ દ્વારા ધરણાં કર્યા હતા. ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય જનતા પાર્ટીના મહિલાઓ અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ દર્શાવતા બેનરો સાથે કોંગ્રેસ હાય – હાયના નારા લગાવાયા હતા. આ તકે ભાજપ જીલ્લા મહામંત્રી યુવરાજ સિંહ વાઢેર, મહિલા મોરચા, અનુજાતિ મોરચો તેમજ નગર પાલિકા પ્રમુખ તથા સભ્યો ખાસ હાજર રહી પંજાબની ઘટનાને વખોડી હતી.