માનસિક રીતે અસ્વસ્થ ખંભાળિયાના યુવાને ઝેરી ટીકડા ખાઈને આપઘાત કર્યો

જામખંભાળીયા : ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અરજણભાઈ રાવલીયા નામના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે તણાવનો અનુભવ કરી રહયા હતા. આ વચ્ચે તેમણે ગત તારીખ 10 મી ના રોજ રાત્રીના સમયે પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ગળી જતાં તેમને સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ અરજણભાઈ પુંજાભાઈ રાવલીયાએ અહીંની પોલીસને કરી છે.