ખંભાળિયા આઈ.એમ.એ.ના નવા હોદ્દેદારોની વરણી

પ્રમુખ તરીકે ઓથોપેડીક ડો. રાણીંગા સેવા આપશે

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના હોદેદારોની એક મિટિંગ તાજેતરમાં યોજાઈ હતી. આ મિટિંગમાં ખંભાળિયા આઈ.એમ.એ.ના વર્ષ 2022 ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

આગામી વર્ષ માટે આઈ.એમ.એ.ના નવા પ્રમુખ તરીકે અહીંના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડોક્ટર નિસર્ગ રાણીંગા તેમજ ઉપપ્રમુખ તરીકે ડો. વી.ડી. કાંબરીયા, સેક્રેટરી તરીકે ડો. નિરવ રાયમગીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ડો. જાદવ તથા ટ્રેઝરર તરીકે નિલેશભાઈ રાયઠઠ્ઠાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ખંભાળિયાના આઈ.એમ.એ.ના નવનિયુક્ત હોદ્દેદારોને અહીંના ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવકારી, શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.