નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોકગાયિકાને સન્માનિત કરાયા

દ્વારકા : નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોકગાયિકા જશુબેન આહીરનું સન્માનપત્ર આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગર ખાતે ભાટિયા શહેરમાં ગુજરાત સરકાર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોકગાયિકા જશુબેન આહીરને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાના પરીક્ષા કેન્દ્ર નિમણુંક અધિકારી પરસોતમભાઈ જે. કછેટીયાના વરદ હસ્તે વિશિષ્ટ સન્માન પત્ર, પ્રમાણપત્ર, ભગવાન દ્વારકાધીશની છબી તથા સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેમને ગુજરાત સરકારના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ કમલેશ આર. બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.