જામનગર ખાતે જાયન્ટ્સ ગ્રુપનું અધિવેશન યોજાયું

જામ ખંભાળિયા :
જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3-બી નું વાર્ષિક અધિવેશન વર્ષને જાયન્ટ્સ ગ્રુપ જનસેવા દરેડ- જામનગર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક અધિવેશનના ચેરમેન એન.સી.એફ. જયદેવભાઈ ભટ્ટ દ્વારા આ માટેની સુંદર વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. આ અધિવેશનમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સુંદર અધિવેશન બદલ જાયન્ટ્સ કાઉન્સિલર ખંભાળિયાના સંદીપભાઈ ખેતીયા તેમજ દિલીપભાઈ વ્યાસ દ્વારા જાય વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ વીણાબેન પટેલ તેમજ અધિવેશનના પ્રમુખ જયદેવભાઈ ભટ્ટનું સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબીનટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.