(રિશી રૂપારેલીયા દ્વારા)
દ્વારકા : જગત મંદિર દ્વારકા ખાતે આજે રાજાધિરાજ દ્વારકાધીશજીને મકરસંક્રાંતિ પર્વે પતંગોનો અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો હતો.
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં આજે મકરસંક્રાંતિએ અદ્ભૂત મહોલ વચ્ચે પૂજારી પરિવાર દ્વારા રાજાધિરાજ દ્વારકાધીશજીને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો. પતંગના અદ્ભૂત શણગારના દર્શન કરી ભાવિક ભક્તો આનંદ વિભોર થયા હતા.