ખંભાળિયા નિવાસી મુરીબેન હરજીભાઈ હડિયલનું અવસાન

જામ ખંભાળિયા: ખંભાળિયા નિવાસી સતવારા હરજીભાઈ મનજીભાઈ હડીયલના ધર્મપત્ની અ.સૌ. મુરીબેન (ઉ.વ. 71) તે વિજયભાઈ અને સચીનભાઈના માતુશ્રી તેમજ રામજીભાઈ, સ્વ. જયંતીભાઈ, વશરામભાઈ, દિલીપભાઈ અને અશોકભાઈના ભાભી ગુરૂવાર તા. 13 ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ટેલિફોનિક બેસણું શનિવાર તારીખ 15 મી ના રોજ સાંજે 4 થી 6 રાખવામાં આવેલ છે. વિજય: 8000310570, સચિન: 9925220111