ખંભાળિયાના વિવિધ મંદિરોમાં પતંગના શણગાર દર્શન

જલારામ મંદિર અને કલ્યાણરાયજી મંદિરે અલભ્ય દર્શનનો લહાવો

જામ ખંભાળિયા : મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે ખંભાળિયાના જાણીતા મંદિરોમાં વિવિધ પ્રકારના પતંગ સાથેના સુંદર શણગાર સજવામાં આવ્યા હતા.

ખંભાળિયામાં આવેલા જાણીતા શ્રી જલારામ મંદિર તથા અહીંના પ્રાચીન અને પ્રખ્યાત શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે ગઈકાલે શુક્રવારે મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ આકાર-પ્રકારના પતંગ સાથે સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. આ માટે અહીંના યુવા કાર્યકરો મિલન કોટેચા, મિલન ગોકાણી, નિપુણ રાડિયા, નિશ્ચલ રાડિયા, હિરેનભાઈ સેવકની જહેમતથી મંદિરોમાં કરવામાં આવેલા આ સુંદર દર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.