ઓખાના દરિયામાં માછીમાર યુવાનનું અપમૃત્યુ

ખંભાળિયા : ઓખાથી આશરે 10 નોટીકલ માઈલ દુર મધદરિયે એક બોટમાં માછીમારી કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના મુરિયા હિંમતપુરના રહીશ એવા કલ્લુભાઈ નામના 38 વર્ષના માછીમાર યુવાનને સાંજના સમયે છાતીમાં દુખાવો ઉપડતાં હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ નીપજયું હોવાની જાણ વિઠ્ઠલભાઈ રવજીભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.