આરંભડાના તરુણનું અપહરણ: અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા 17 વર્ષના એક તરૂણને ગત તારીખ 13 ના રોજ કોઈ શખ્સ લલચાવી, ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે સ્થાનિક પી.આઈ. જી.આર. ગઢવીએ તરુણના માતા સતવારા જશોદાબેન ગોવિંદભાઈ નારણભાઈ રાઠોડ (ઉ.વ. 42) ની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 363 મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.