ખંભાળિયાના ભરાણાના ક્ષત્રિય વૃદ્ધનું અપમૃત્યુ

ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા દિલુભા કાનાજી જાડેજા નામના 60 વર્ષના ગરાસીયા વૃદ્ધ શનિવાર તારીખ 15 ના રોજ પોતાની વાડીએ પાણી વાળી રહ્યા હતા, ત્યારે અકળ કારણોસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ કેશુભા કાનાજી જાડેજાએ વાડીનાર મરીન પોલીસને કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.