ભાટિયાના રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

દાગીના તથા રોકડ રકમ સાથે ટીવી પર ઉપાડી ગયા..!

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આવેલી પ્રાથમિક શાળા પાસે રહેતા જમનાબેન મુરજીભાઈ લખુભાઈ કણઝારિયા નામના 50 વર્ષના સતવારા મહિલાના રહેણાંક મકાનમાં ગત તારીખ 15 દરરોજ રાત્રે આઠ વાગ્યાથી ગઈકાલે રવિવારે સવારના નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ મકાનમાં અપ-પ્રવેશ કરી અને ઘરના દરવાજાનું તાળું તોડી, અહીં રહેલી તેજુરી પણ તોડી નાખી હતી.

અહીં રાખવામાં આવેલા રૂપિયા 32 હજાર રોકડા તથા રૂપિયા 18 હજારની કિંમતના સોનાના તથા ચાંદીના દાગીના ઉપરાંત આ મકાનમાં રાખવામાં આવેલું રૂપિયા 12 હજારની કિંમતનું એમ.આઈ. કંપનીનું એક ટીવી પર ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આમ, કુલ રૂપિયા 62 હજારના મુદ્દામાલની ચોરી થવા જમનાબેન કણજારીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 457 તથા 380 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિઘ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.