સલાયામાં મકરસંક્રાંતિને પર્વે જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ ચીજ વસ્તુઓનું અનુદાન

ઝુંપડપટ્ટી વિસ્તારોમાં રઘુવંશી કાર્યકરોની સેવા પ્રવૃતિ

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં મકરસંક્રાંતિ નિમિત્તે લોહાણા ક્રાંતિ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. દાન-પુણ્યના મહાત્મયના પર્વ સંક્રાંત પર્વે સલાયામાં ત્રણ રસ્તા પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટ વિસ્તારમાં આવેલા ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને લોહાણા ક્રાંતિ ગ્રુપના કાર્યકરો દ્વારા રઘુવંશી સદગૃહસ્થ દામોદર પોપટલાલ કાનાણી તથા દિલીપભાઈ રાજાના આર્થિક સહયોગથી લાડુ, બિસ્કીટ સહિતની ચીજવસ્તુઓનું દાન આપવામાં આવ્યું હતું.

આ સેવા પ્રવૃત્તિ કાર્યને સફળ બનાવવા માટે સલાયા ગૌ સેવા સમિતિ તથા સલાયા ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવા, દાતા પરેશભાઈ કાનાણી સાથે ભગીરથસિંહ જાડેજા, હિતેશભાઈ પંચમતિયા, ધીરુભાઈ મોદી, ધીરુભાઈ લાલ, ક્રિશ તથા વ્રજ કાનાણી, વિશાલ લાલ, વિપુલભાઈ સાયાણી, સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.