ખંભાળિયા સહિત જિલ્લામાં તાપમાનનો પારો ઊંચકાયો

લોકોને ઠંડીથી રાહત મળતા બજારોમાં ચહલ – પહલ વધી

જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં તાજેતરના મકરસંક્રાંતિના દિવસોમાં ઠંડીનો પારો ગગડેલો રહ્યો હતો. લોકોએ કાળઝાળ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ હેમાળાના કારણે આ દિવસોમાં જનજીવન પ્રભાવિત બની રહ્યું હતું.

સિંગલ ડિઝીટ સુધી પહોંચી ગયેલા તાપમાનના પારામાં ગઈકાલથી થોડો વધારો થયો છે અને તાપમાન ઊંચકાતા ગાત્રો થીજાવતી ઠંડીથી લોકોને રાહત અનુભવાઇ રહી છે. રાત્રિના તથા સવારના સમયે ઠંડી ભર્યા માહોલ વચ્ચે બપોરના સમયે ઠંડીથી રાહત બની રહી છે.