બીમારી સબબ કલ્યાણપુરના દુધીયા ગામના વૃદ્ધનું મૃત્યુ

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા કાનાભાઈ મેરામણભાઈ ધ્રાંગુ નામના 62 વર્ષના વૃદ્ધને કેન્સરની બીમારી હોય, તેની ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર રમેશભાઈ કાનાભાઈ ધ્રાંગુએ કલ્યાણપુર પોલીસને કરી છે.