જામ ખંભાળિયા : નિવૃત આચાર્ય હરીશંકરભાઈ ભટ્ટનું અવસાન

જામ ખંભાળિયા: અહીંના રાજયપુરોહિત બ્રાહ્મણ સ્વ. પ્રભાશંકર પોપટલાલ ભટ્ટ (મુળ પટેલકાવારા) ના પુત્ર હરીશંકરભાઈ (નિવૃત આચાર્ય- પટેલકા, ઉ. વ. 81) તે સ્વ. મધુબેનના પતિ તેમજ સંજયભાઈ, જનાર્દનભાઈ તથા સ્મૃતિબેનના પિતાશ્રી તથા કાંતિભાઈ (નિવૃત પોસ્ટમાસ્તર), અંબાશંકરભાઈ (નિવૃત પોસ્ટમેન), સ્વ. લલિતાબેન ચીમનલાલ વ્યાસ (કલ્યાણપુર), ચંપાબેન દોલતરાય મહેતા (આહીર સિંહણ) અને હંસાબેન હેમંતભાઈ આશા (સિક્કા) ના મોટાભાઈ તેમજ રમણિકલાલ ભટ્ટ (છાપાવારા) ના નાનાભાઈ તથા સીમાબેન સંજયભાઈ ભટ્ટ અને મીનાબેન જનાર્દનભાઈ ભટ્ટના સસરા, અંકિત સંજયભાઈ ભટ્ટ, સ્વેતા સંજયભાઈ ભટ્ટ અને સ્વ. પ્રિયાન્સ જનાર્દનભાઈ ભટ્ટના દાદા, શક્તિના મોટા અદા, જયસુખભાઈ, મુકુંદભાઈ, મનીષભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ (મોટી રાફૂડળ) વારાના બનેવી તા. 18 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું (બેસણું) તારીખ 20 ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે મોરલી મંદિર પાસે રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે રાખવામાં આવેલ છે.