ખંભાળિયાના અગ્રણી શિક્ષણવિદનું એ.બી.વી.પી દ્વારા સન્માન

યુવા દિને હિતેન્દ્રભાઈ આચાર્યને સન્માનિત કરાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી નારોજ યુવા દિન નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત એ.બી.વી.પી. ના ખાણધરભાઈ તથા કૃપાબેન દ્વારા અહીંના અગ્રણી કેળવણી તથા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ આચાર્યને સન્માનપત્ર તથા સ્વામી વિવેકાનંદના ચરિત્ર પુસ્તક અર્પણ કરી, સન્માનિત કરવામાં આવ્યા હતા.