અકળ કારણોસર ઝેરી દવા પી લેતા ભોગાતના યુવાનનું મૃત્યુ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા હરદાસભાઈ સાજણભાઈ લુણા નામના 42 વર્ષના ગઢવી યુવાને ગત તારીખ 21 મેના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતક નાનાભાઈ નગાભાઈ સાજણભાઈ લુણાએ કલ્યાણપુર પોલીસને કરી છે.