જામ ખંભાળિયા : મુકુંદભાઈ કાલિદાસ ધ્રુવનું અવસાન

જામ ખંભાળિયા: અહીંના દશા સોરઠીયા વણીક મુકુંદભાઈ કાલિદાસ ધ્રુવ (મૂળ કલ્યાણપુરવારા, ઉ.વ. 74) તે રેખાબેનના પતિ તથા સ્વ. રમણીકભાઈ, સ્વ. ગિરધરભાઈ અને સ્વ. પ્રભુદાસભાઈના નાનાભાઈ તેમજ સ્વ. રતિલાલ રવજીભાઈ શેઠના જમાઈ તથા સ્વ. પ્રવિણભાઈ, દિલીપભાઈ અને જીતેન્દ્રભાઈના બનેવી તથા મોસમી રોનકભાઈ વખારિયાના પિતાશ્રી તા. 24 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું ગુરૂવાર તારીખ 27 ના રોજ સાંજે ચારથી પાંચ અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.