દેવભૂમિ દ્વારકામાં કોરોના ઢીલો ઢફ, નવા 22 કેસ : એક મૃત્યુ

દ્વારકા તાલુકામાં આજે 16 પોઝિટિવ કેસ : જિલ્લામાં 44 દર્દી સાજા થયા

(રિશી રૂપરેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ કોરોના ઢીલો ઢફ થયો હોય તેમ નવા 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સામે 44 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. સાથો સાથ આજે જિલ્લામાં કોરોનાથી કલ્યાણપુરમાં એક દર્દીનું મૃત્યુ પણ નીપજ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણ ઘટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે આજે જિલ્લામાં 1378 લોકોના કોરોના ટેસ્ટ કરતા 22 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ભાણવડમાં 1, દ્વારકામાં 16, કલ્યાણપુરમાં 1 અને ખંભાળિયામાં 4 કેસ નોંધાયા હતા.

બીજી તરફ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. ઉપરાંત આજના દિવસે ભાણવડમાં 1, દ્વારકામાં 23, કલ્યાણપુરમાં 3 અને ખંભાળિયામાં 17 દર્દી મળી કુલ 44 દર્દીઓ સ્વસ્થ બનતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.