દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસમાં પુનઃ ઉછાળો: 35 દર્દીઓ નોંધાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા આજરોજ કોરોનાના કેસોમાં પુનઃ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. બે દિવસ પૂર્વે સમગ્ર જિલ્લામાં માત્ર સાત કેસો નોંધાયા હતા. જે વધીને ગઈકાલે મંગળવારે 22 બાદ આજરોજ બુધવારે વઘુ 35 દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકાના 14 અને દ્વારકા તાલુકાના 10, કલ્યાણપુર તાલુકાના નવ અને ભાણવડ તાલુકાના બે દર્દીઓનો સમાવેશ થાય છે.

જિલ્લામાં ડિસ્ચાર્જ રેશિયો પણ હવે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ખંભાળિયાના 17, દ્વારકાના 16, ભાણવડના સાત અને કલ્યાણપુરમાં ત્રણ દર્દીઓ મળી, કુલ 43 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.