દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા: 56 દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના સંક્રમિત ખંભાળિયાના એક દર્દીએ દમ તોડયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ ગુરુવારે કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. જેમાં દ્વારકા અને કલ્યાણપુરના બાર-બાર દર્દીઓનો સમાવેશ થાય છે. આ વચ્ચે દ્વારકાના 40, ખંભાળિયાના 12 અને કલ્યાણપુરના 4 મળી, 56 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.

આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના શંકાસ્પદ જણાતા 1,256 ટેસ્ટ કરાયા હતા. કોરોનાનું સંક્રમણ ખંભાળિયાના એક દર્દી માટે જીવલેણ સાબિત થયું છે. જેથી ઘણા સમય બાદ ખંભાળિયા તાલુકામાં કોરોનાના કારણે એક મૃત્યુ નોંધાયું છે.