દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 27 કેસ : 72 ડિસ્ચાર્જ થયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં મળી કુલ 1,299 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ દ્વારકામાં 20, ખંભાળિયા તાલુકામાં 6 અને ભાણવડ તાલુકામાં એક નવો કેસ નોંધાયો છે. આ વચ્ચે દ્વારકાના 40, ખંભાળિયાના 19, કલ્યાણપુરના 7 અને ભાણવડના છ મળી, કુલ 72 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.