ધંધુકાના ગૌસેવક યુવાનની હત્યાના વિરોધમાં જામખંભાળીયામા આવેદન અપાયું

(રિશી રૂપારેલિયા)દ્વારકા : અમદાવાદના ધંધુકાના ગૌસેવક અને અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા કરવાના બનાવના વિરોધમાં આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામ ખંભાળિયા ખાતે રાષ્ટ્રવાદી મિત્ર મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ગૌસેવક કિશનભાઈ ભરવાડની વિધર્મી લોકો દ્વારા થયેલી હત્યાના વિરોધમાં જામ ખંભાળીયા રાષ્ટ્રવાદી મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આવેદનપત્ર પાઠવીને આ રાક્ષસી કૃત્ય કરનાર નરાધમોને તાત્કાલિક પકડી પાડી કડકમાં કડક સજા કરી ફાંસી આપવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જામ ખંભાળીયાના મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી યુવાનો જોડાયા હતા.