દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 22 દર્દીઓ નોંધાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ શનિવારે ખંભાળિયા તથા દ્વારકા તાલુકાના નવ-નવ કલ્યાણપુર તાલુકાના ત્રણ અને ભાણવડ તાલુકાના એક દર્દી મળી કુલ 22 દર્દીઓનો ઉમેરો થયો છે. જ્યારે દ્વારકા તાલુકાના 32, ખંભાળિયા તાલુકાના 18, કલ્યાણપુર તાલુકાના 9 અને ભાણવડ તાલુકાના 4 મળી, કુલ 63 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી, કુલ 1,252 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.