ભાટીયા ખાતે બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઇ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આવેલી શ્રી એલ.એન.પી. હાઈસ્કુલના શ્રી શ્રી હોલ ખાતે આજરોજ રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચાની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી તુલસીભાઈ નકુમ જિલ્લા પ્રમુખ ડી.એલ. પરમાર, મહામંત્રી ધરણાતભાઈ ચાવડા, જેન્તીભાઈ સુરેલા સાથે કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ નગાભાઈ ગાધેર તથા જિલ્લાના તમામ મંડળના પ્રમુખ અને મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે ધંધુકા મુકામે તાજેતરમાં કિસાન ભરવાડ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી હત્યાના બનાવને બાબતને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. આજરોજ ગાંધી નિર્વાણ દિને ગાંધી બાપુ તથા ભારતના સ્વતંત્ર સંગ્રામમાં શહીદ થયેલા તમામ લોકોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ પાયલબેન વાજા દ્વારા કરવામાં આવી હતી.