દ્વારકા જિલ્લામાં કોરોનાના 33 નવા કેસ : 8 દર્દીઓ સ્વસ્થ થયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ રવિવારે દ્વારકાના 17, ખંભાળિયાના 12, કલ્યાણપુરના 3 અને ભાણવડનો એક મળી કુલ 33 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ખંભાળિયાના 5 અને કલ્યાણપુરના 3 મળી, કુલ 8 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના સંદર્ભે જિલ્લામાં કુલ 733 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.