દ્વારકાનું વહીવટી તંત્ર ગાંધીજીને વિસરી ગયું

ગાંધી નિર્વાણ દિને પ્રતિમાને હારતોરા તો ઠીક સાફ સફાઈ પણ ન થઈ

(રિશી રૂપરેલીયા)
દ્વારકા : આજે ગાંધી નિર્વાણ દિને દેશભરમાં પૂજ્ય બાપુને યાદ કરવામાં આવ્યા હતા ત્યારે દ્વારકાનું વહીવટી તંત્ર પૂજ્ય ગાંધી બાપુને વિસરી ગયું હતું. આશ્ચર્ય તો એ વાતનું છે કે, તંત્રવાહકો પ્રતિમાને હારતોરા કરવા તો દુરની વાત પરંતુ પ્રતિમા સ્થળની સાફ સફાઈ ન કરાવતા ગંદકી ઉડીને આખે વળગી હતી.

આજે ગુજરાત સહિત રાજ્યભરમાં ગાંધી નિર્વાણ દિવસે પૂજ્ય બાપુને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે યાત્રાધામ દ્વારકામાં ગાયત્રી મંદિર સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે અધિકારીઓ કે પધાધિકારીઓ ફરકયા ન હતા. ઊલટું પ્રતિમા નજીક ગંદકી જોવા મળી હતી.

આજના દિવસે દ્વારકામાં પૂજ્ય ગાંધીજીને પુષ્પાંજલિ કે કોઈ કાર્યક્રમન યોજાતા ગાંધીજી વિસરાયા હોય તેવી સ્થિતિ જોવા મળતા ગાંધી વિચારધારમાં માનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.