ભાણવડમાં માલધારી સમાજ દ્વારા રેલી યોજાઈ

હત્યારાઓને ફાંસી આપવા માંગ ઉઠાવી

(રિશી રૂપરેલીયા)દ્વારકા : ધંધુકામાં કિશન ભરવાડ નામનાં યુવકની નિર્મમ હત્યાનાં વિરોધમાં આજે ભાણવડમાં માલધારી સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આજે ભાણવડ ખાતે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા અને હત્યારાઓને કડક સજા કરવા માટે ભાણવડ માલધારી સમાજ તેમજ હિંદુ સમાજ દ્વારા વેરાડ ગેઈટ બહારથી રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચી હતી જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને કડક સજાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.