દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ તળિયે: ફક્ત 3 નવા દર્દીઓ

21 સ્વસ્થ થયા, ખંભાળિયાના એક દર્દીનું મોત

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વધતા જતા અને નોંધપાત્ર કોરોના પોઝિટિવ કેસ બાદ આજરોજ માસાંતે ફક્ત ત્રણ નવા કેસ નોંધાયા છે. જેમાં ખંભાળિયાના બે અને ભાણવડના એક દર્દીનો સમાવેશ થાય છે.

આજે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં કુલ 1,170 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે દ્વારકાના 15 સહિત જિલ્લામાં કુલ 21 દર્દીઓને સ્વસ્થ જાહેર કરાયા છે. ખંભાળિયાના એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું પણ આરોગ્ય વિભાગની આજની યાદીમાં જાહેર થયું છે.