દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદ્યાસહાયક ભરતી અંગે માર્ગદર્શન શિબિર યોજાશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં ગુજરાતી માધ્યમની ભરતી બાબતે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્ર ભરવા અંગે, રિસિવિંગ સેન્ટર ખાતે આવેદનપત્ર જમા (સબમીટ) કરવા તેમજ ભરતી બાબતે અન્ય જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં શીરુવાડી ખાતે આવેલા બી.આર.સી. ભવનની તાલુકા શાળા નંબર- 5ની સામે, આવેલા કેન્દ્ર ખાતે વિદ્યાસહાયક ભરતી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ઠાકરશેરડી પ્રાથમિક શાળાના આચાર્ય ખામાભાઈ કંડોરીયા, હંસ્થલ પ્રાથમિક શાળાના આચાર્ય ડાડુભાઈ નંદાણીયા અને ભાણવડ તાલુકા કેળવણી નિરિક્ષક કેવલકુમાર ડોડીયા દ્વારા તારીખ 5 મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે 11થી સાંજે 5 સુધી માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

આ શિબિર દ્વારા માર્ગદર્શન મેળવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 7 ના ઉમેદવારોએ દરેક જાહેરાત મુજબ લાયકાત અનુસાર અલગ-અલગ અરજી કરવાની રહેશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની એક યાદીમાં જણાવાયું છે.