દ્વારકા જિલ્લામાં કોરોના ઘાતક બન્યો : આજે વધુ એક મોત

દેવભૂમિ જિલ્લામાં આજે 16 નવા પોઝિટિવ દર્દીઓ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના ઘાતક બન્યો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કરવામાં આવેલા કુલ 1,414 કોરોના ટેસ્ટ દરમિયાન દ્વારકાના 10, ખંભાળિયાના 4 તથા કલ્યાણપુર અને ભાણવડના એક-એક મળી, કુલ 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે ખંભાળિયાના 12, દ્વારકાના 11, કલ્યાણપુરના 9 અને ભાણવડના 2 મળી, કુલ 34 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના સંક્રમિત દ્વારકાના એક દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.