ગિરિરાજ ટ્રસ્ટ રાવલ અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ખાતે આવેલી સરકારી સીએચસી હોસ્પિટલ ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને ગિરિરાજ ટ્રસ્ટ રાવલ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને ગિરિરાજ ટ્રસ્ટ રાવલ દ્વારા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જામ રાવલ સરકારી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાવલની આજુબાજુ ગ્રામ્યવિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન 139 દર્દીઓની તપાસ કરી 33 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઇ જવાયા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રાવલ ગિરિરાજ ટ્રસ્ટના વિનુભાઈ ગોકાણી, લાખાણીભાઈ, ચિરાગ હિંડોચા સહિતના સેવાભાવી કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.