દ્વારકા જિલ્લાના ભોગાતનો ખેડૂત પુત્ર સમગ્ર રાજ્યમાં gpsc માં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ

આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામી આહીર સમાજનું ગૌરવ વધાર્યું

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના ખેડૂત પુત્રએ gpsc દ્વારા લેવાયેલ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમાંકે ઉત્તીર્ણ થઈ દેવભૂમિ જિલ્લા અને આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે.

દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂત દવુભાઈભાઈ આંબલિયાના તેજસ્વી પુત્ર નિલેશભાઈએ તાજેતરમાં લેવાયેલ gpsc કલાસ ટુની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમાંક મેળવી આરટીઓ ઇન્સ્પેકટર તરીકે પસંદગી પામ્યા છે. આહીર સમાજને ગૌરવ અપાવતી આ સિદ્ધિ બદલ નિલેશભાઈ આંબલિયાને ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.