દેશના તમામ વર્ગના લોકોને રાહત આપતુ વિકાસલક્ષી અંદાજપત્ર : જામનગરના સાંસદ

જામનગરના સાંસદ પૂનમબેન માડમનો કેન્દ્રીય અંદાજપત્રને આવકાર

આત્મનિર્ભર ભારત માટેની બજેટમાં બહુવિધ જોગવાઈઓ ભારતના સર્વાંગી વિકાસનો પાયો બની રહેશે : સાંસદ પૂનમબેન માડમ

જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી દ્વારા રજુ થયેલ બજેટ આત્મનિર્ભર ભારતની સંકલ્પ સિધ્ધી કરનારૂં આગામી ૨૫ વર્ષના ભારતના સુદઢ વિકાસના રોડ મેપ સમાન સંતુલીત બજેટ હોવાનું સાંસદસભ્ય પૂનમબેન માડમે તેમના કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવમાં જણાવ્યુ છે.

તેમણે જણાવ્યું છે કે મંદી અને મહામારીના સમયગાળામાં કરવેરામાં કોઈ પણ જાતના વધારો કર્યા વગર દેશના તમામ વર્ગને રાહત આપનારૂ આ સર્વગ્રાહી અંદાજપત્ર છે. કોરોના મહામારી દરમ્યાનનું વર્ષ ૨૦૨૨-૨૩ નું અંદાજપત્ર રાષ્ટ્રના દરેક વર્ષ અને ક્ષેત્રની પ્રગતી માટેનું નવું સીમાચીન બની રહેવાની સાથે દેશને આર્થિક ક્ષેત્રે વૈશ્વીક ટોચ ઉપર લઈ જનારૂ સર્વગ્રાહી બજેટ બની રહેશે.

કોરોના મહામારીના સમયગાળામાં કેન્દ્રીય સબળ અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં દેશ હિંમતભેર લડત આપી ફરી પ્રગતી તરફ કુચ કરે છે ત્યારે આ અંદાજપત્ર દરેક વર્ગ અને દરેક ક્ષેત્રને પ્રગતીનું બળ આપનારૂ નવું જોમ આપનારૂ બની રહેશે. આત્મનિર્ભર ભારતનું ખરા અર્થમાં નિર્માણ થાય તે દિશામાં અનેકવિધ સુધારા-વધારાઓ આ બજેટમાં ખૂબ જ દૂરંદેશીથી આવરી લેવાયા છે.

પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના દેશની આર્થિક વૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પરિવતનશીલ અભિગમ છે, જેના માસ્ટર પ્લાનમાં ૭ મહત્વના ક્ષેત્રો જેમાં રોડ-રસ્તા, રેલ્વે, એરપોર્ટ, બંદરો, માસ ટ્રાન્સપોર્ટ જળમાર્ગો અને લોજીસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લેવાયેલ છે. આ ૭ એન્જનોથી ઉર્જા ટ્રાન્સમીશન, આઈ.ટી. કોમ્યુનીકેશન, પાણી અને ગટર વ્યવસ્થા અને સામાજીક માળખાને બળ મળશે. કેન્દ્ર અને રાજય સરકાર ખાનગીક્ષેત્રના સંયુકત પ્રયાસોથી તમામ લોકો ખાસ કરીને યુવાનો માટે વિશાળ રોજગારી અને ઔધોગીક સહાસ માટેની વિપુલ નકો પ્રાપ્ત થશે જેનાથી દેશનો સર્વાંગી વિકાસ થશે. આત્મનિર્ભર ભારત માટેની બજેટમાં બહુવિધ જોગવાઈઓ દ્વારા મજબૂત માળખાકીય સુવિધાઓ વડે આત્મનિર્ભર ભારતના સર્વાંગી વિકાસનો પાયો બની રહેશે.

અર્થતંત્રની ગતીશીલતા સાથે સર્વાંગી પ્રગતીશીલતા માટે આ બજેટમાં અનેક વિધ આર્થિક જોગવાઈઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આગામી ૩ વર્ષમાં ૪૦ નવી વંદે ભારત ટ્રેન દોડાવાશે, ૬૦ કિ.મી. લાંબા ૮ રોપ વે બનાવવામાં આવશે, ૫ મોટી નદીઓને એક બીજા સાથે જોવામાં આવશે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ૮૦ લાખ નવા આવાસો માટે રૂા.૮ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેથી પરિવહોણા લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે, ૧૦૦ ગતિશીલ કાર્ગો ટર્મીનલ નિર્માણ થશે, રૂા. ૨૦ હજાર કરોડના ખર્ચે ૨૫ હજાર કિ.મી. ના નેશનલ હાઈવે નિર્માણ થશે, સોલાર પાવર માટે રૂા. ૧૯ જાર પ0 કરોડની ફાળવણી કરાશે, ૨ લાખ નવી આંગણવાડીઓને અપગ્રેડ કરાશે, પ૨ પર નલ સે જલ યોજના હેઠળ ૩ કરોડ પરિવાર સુધી નલ થી ૪ળ પહોંચાડવા રૂા. 50 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે, નાના માધ્યમ ઉદ્યોગો માટે રૂા. ૭ હજાર કરોડની ફાળવણી કરાઈ છે, મેક ઈન ઈન્ડીયા અતર્ગત રૂા.૬૦ લાખ નોકરીઓ અને આત્મનિર્ભર ભારત માંથી ૧૬ લાખ રીજગારીની તકો ઉભી કરાશે. શિક્ષણ વ્યાપ વધારવા માટે ડી.ટી.એચ. ની સુવિધા અને પી.એમ. ઈ-વિદ્યા ચેનલ લાવી ૨૦૦ નવી ચેનલો મારફતે સ્કુલોમાં દરેક વર્ગમાં ટી.વી. લગાવવામાં આવશે અને કૃષિ યુનિર્વસીટીનો વિસ્તાર વધારવામાં આવશે, કલીન એનર્જી કલાઈમેટ સરકારની પ્રાથમિકતા રહેશે, ઈલેકટ્રીકલ વાહનોને પ્રોત્સાહીત કરવા અને અનુકુળતા વધારવા માટે ચાર્જીંગ સ્ટેશનો બનાવવામાં આવશે. આર.બી.આઈ. વર્ષ ૨૦૨૨-૨૩ માં ડીજીટલ કરન્સી લાપશે જેનાથી દેશ મજ્બુત બનશે, ૭૫ ડીઝીટલ બેન્કીંગ યુનીટ ખોલાશે તથા દેશની પોસ્ટ ઓફિસોને કોર બેંકીંગ સુવિધાથી સજ્જ કરવામાં આવશે.

આપણા ખેતીપ્રધાન રાષ્ટ્રમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સિધ્ધ કરવા માટે વિવિધ પ્રોત્સાહક જોગવાઈ લાગુ કરાશે, જેમ કે પ્રાકૃતીક ખેતી અને રસાયણ મુકત ખેતીને પ્રોત્સાહન સાથે ખેડુતોને ડીજીટલ હાઈટેક સર્વીસ મળશે, સાથો સાથે સરકાર ખેડૂતોનને પ્રોત્સાહન આપશે, ઝીરો બજેટ ખેતી અને પ્રાકૃતીક ખેતી સાથે મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપન પર ભાર મુકી, ફળ, શાકભાજીના ખેડૂતોને પેકેજ તથા તેલીબીયાની ખેતીને પ્રોત્સાહન પુરૂ પાડી ગ્રામીણક્ષેત્રના વિકાસ માટે દરેક ગામ સુધી ઈન્ટરનેટ પહોંચાડી ૫ જી ટેક્નોલોજી લાવવામાં આવશે. દરેક ગામમાં બ્રોડબેન્ડ સર્વીસ ઉભી કરાશે. આ રીતે ગ્રામીણક્ષેત્રના વિકાસ સાથે સોતર રીતે શહેરોના વિકાસ અને ગતીને વેગ આપવાની જોગવાઈઓ ઉપર ભાર મુકાયેલ છે, ઉપોગની કોર્પોરેટ સહિત ઔધોગીક એકમો માટે સરળ અને ઓછો કર-કંપની એકટનું સરળીકરાએ અર્થતંત્રને વેગ આપનારૂ બની રહેશે.વેપાર-ઉદ્યોગને બાધારૂપ મોટાભાગના કાયદાઓ રદ કરી સરળીકરણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

વધુમાં, તેમણે ઉમેર્યું છે કે કોર્પોરેટ ક્ષેત્રના લઘુતમ વૈકલ્પિક ટેકસ ૧૮.૫% થી ઘટાડીને ૧૫% કરાયો છે. તેમજ ૧૦ કરોડ સુધીની આવક ધરાવતી સહકારી મંડળીઓને આવક ઉ૫૨ કાલનો ૧૫ સરચાર્જ ઘટાડી ૭૮ કરવામાં આવ્યો છે જેનાથી સહકારી ક્ષેત્રને ખૂબ જ રાહત અને પ્રોત્સાહન મળશે. બાળકોના સ્વાસ્થય અને મહીલાઓના સશકિતકરણના હેતુસર મીશન શક્તિ, મીશન વાત્સલય, સક્ષમ ગણવાડીઓ અને પોષણ ૨.૦ યોજનાઓ લાગુ થવાથી મહીલાઓ માટે અમૃત્તકાળ સમાન બની રહેશે.

વીજળી, પાણી, રેલ્વે સહિત દરેક પરિવહન સુવિધાઓ- સંશોધન- ઉત્પાદન-નિકાસ- કરમાળખા-ડીજીટલાઈઝેશન ટેકનોલોજી-વિજ્ઞાન-સંશોધન-ટેકનોલોજી-રીસર્ચ એન આરોગ્ય-પર્યાવરણ બેંકીંગ વીમા સહીતના ક્ષેત્રમાં બારીકાઈથી અભ્યાસ કરી નાની નાની અડચણો દુર કરી સરળતા કેવી રીતે સ્થાપી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે તે બાબતો તમામ વર્ગ અને તમામ ક્ષેત્ર માટે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામલક્ષી અને અત્યંત ઉપયોગી બની રહેશે.

એકંદર કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૨-૨૩ નું આ બજેટ રાષ્ટ્રનો દરેક આયામોથી વિકાસ થાય દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તેમજ માળખાકીય વિસ્તાર થાય અને ખેતી વિજ્ઞાન શિક્ષણ-રોજગાર આરોગ્ય-ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓના ક્ષેત્રમાં પણ ક્રાંતીકારી અને સદૃઢ ભવિષ્ય નિર્માણ થાય તે સુનિશ્ચિત કરતુ બજેટ છે. સમગ્ર પણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસને આવરી લેતુ અને ” આત્મનિર્ભર ભારત “ના સ્વપ્નને સાકાર કરતુ આ સંતુલીત બજેટ રજુ કરવા બદલ સંસદસભ્ય પુનમબેન માડમએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને અભિનંદન પાઠવેલ છે.