દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 21 દર્દીઓ નોંધાયા

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ શુક્રવારે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જેમાં દ્વારકામાં 8, ખંભાળિયામાં 7 તથા ભાણવડમાં 6 દર્દીઓ વધ્યા છે. જ્યારે ચાર તાલુકાના કુલ 22 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોનાના આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1,069 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.