(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં બરછા પાડા વિસ્તારમાં રહેતા હસન જુસબ સમા નામના યુવાનએ આ જ વિસ્તારમાં રહેતા અજયગીરી પ્રતાપગીરી ગોસ્વામી, સચિન ગોસ્વામી તથા પારસ ઉર્ફે પાલીયો ગોસ્વામી નામના ત્રણ શખ્સો સામે લોખંડના પાઇપ વડે હુમલો કરી, પથ્થરના ઘા મારીને ઇજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી હસનભાઈના ભાઈ રફિકભાઈએ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પોલીસ ફરિયાદ કરી હોય, તે બાબતનું મનદુઃખ રાખી, તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 337, 323, 324, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.