ભાટિયા ખાતે ભારતીય સંગીત કલા સંસ્કૃતીનો પ્રચાર – પ્રસાર

દ્વારકા : સંગીતના ઈષ્ટદેવ એવા દ્વારકાધીશ સમીપ દેવભૂમિ દ્વારકાના ભાટીયા શહેરમાં ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભારતીય સંગીત કલા સંસ્કૃતીનો પ્રચાર – પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થાના અધ્યક્ષ કમલેશ આર. બથીયા અને ભૂતપૂર્વ છાત્ર પોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતન શાસ્ત્રી ગિરીશભાઈ એ. ભોગાયતા દ્વારા કલા રસિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.