કલ્યાણપુર તાલુકા ભાજપમાં વેપારી સેલના કન્વીનરની નિમણુંક

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ભાજપમાં વેપારી સેલના કન્વીનર તરીકે ભાટીયાના જીતેન દાવડાની નિમણુંક કરવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકા વેપારી સેલના કન્વીનર તરીકે ભાટીયાના જીતેન દાવડાની નિમણુંક કરવામાં આવી છે. જીતેન નવીનભાઈ દાવડા તેમજ તેનો પરિવાર વર્ષોથી સમાજ સેવા તેમજ જ્ઞાતિ કાર્યમાં હંમેશા આગળ રહી સમાજ તેમજ જ્ઞાતિનું ઋણ ચૂકવવા તત્પર રહે છે. સાથે જીતેન દાવડા રોબિન હુડ આર્મી-ભાટીયા, ભાટીયા લોહાણા મહાજનના કારોબારી મેમ્બર, દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પી.એલ.વી. તરીકે કાર્યરત છે. તાજેતરમાં કલ્યાણપુર તાલુકા ભાજપમા વેપારી સેલના કન્વીનર તરીકે જીતેન દાવડાની નિયુક્તિ થતા તેઓએ પાર્ટીએ તેના પર વિશ્વાસ મુક્યો તે બદલ આભાર વ્યક્ત કરેલ છે.