પાક મરીનની વધુ એક નાપાક હરકત : બે માછીમારી બોટના અપહરણ

આઈએમબીએલ નજીકથી 12 માછીમારોના અપહરણ : બોટ ઓખાની હોવાની શક્યતા

(રિશી રૂપરેલીયા)
દ્વારકા : તાજેતરમાં જ ઓખાની બોટનું અપહરણ કર્યા બાદ આજે ફરી પાક મરીન સિક્યુરિટી દ્વારા નાપાક હરકત કરી આઈએમબીએલ નજીકથી 12 માછીમારો સાથે 2 બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આંતરરાષ્ટ્રીય જળ સીમા આઈએમબીએલ નજીકથી આજે પાક મરીન સિક્યુરિટી દ્વારા 2 બોટ સાથે બાર માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બન્ને બોટ ઓખાની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.