વસંત પંચમીએ અબીલ-ગુલાલના અમીછાંટણા સાથે દ્વારકાધીશજીની આરતી

વસંતઋતુનો પ્રારંભ થતા ફાગણ સુદ પૂનમ સુધી ભગવાન દ્વારકાધીશને અબીલ-ગુલાલના અમી છાંટણાં કરાશે

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : આજથી વસંતઋતુનો પ્રારંભ થતાં જગત મંદિર દ્વારકા ખાતે વસંતપંચમીની વિશેષ આરતી પૂજન સાથે દ્વારકાધીશજીને અબીલ-ગુલાલના અમીછાંટણા કરવામાં આવ્યા હતા.આજે બપોરે દોઢ વાગ્યા દરમ્યાન મંદિરના દ્વાર ખુલ્યા હતા અને જગત મંદિર માં બપોરે ઉત્સવ આરતી કરવામાં આવી હતી જેનો સેંકડો ભાવિકોએ બપોરે અઢી વાગ્યા સુધી લાભ લીધો હતો.

યાત્રાધામ દ્વારકા ખાતે આજે વસંતપંચમીના અવસરે વિશેષ પૂજા આરતી યોજાતા હોય બપોરે મધ્યાહન ઉત્સવ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશજીના દર્શન માટે ઉપસ્થિત રહી લાભ લીધો હતો. આજથી વસંતઋતુનો પ્રરંભ થાય છે ત્યારે ફાગણ સુદ પૂનમ સુધી ભગવાનને આરતી દરમ્યાન અબીલ ગુલાલ દ્વારા અમી છાંટણા કરવામાં આવશે.