દ્વારકા જિલ્લામાં કોરોના કરમાયો : માત્ર 5 પોઝિટિવ કેસ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ કરમાઈ ગયો હોય તેવી રાહતની સ્થિતિ વચ્ચે આજે સમગ્ર જિલ્લામાં માત્ર 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજરોજ દ્વારકા તાલુકામાં 3, ખંભાળિયામાં 1 અને કલ્યાણપુરમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ વચ્ચે દ્વારકા તાલુકાના 6 અને કલ્યાણપુરના 1 મળી કુલ 7 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. એક દિવસમાં કોરોના અંગે આરોગ્ય વિભાગે 728 ટેસ્ટ કર્યા હતા.