અરબી સમુદ્રમાં પાકની ચાચિયાગીરી વધુ 10 બોટ અને 60 માછીમારો પકડ્યા

ભારતીય માછીમારોની બોટ પકડવાનો સિલસિલો યથાવત

(રિશી રૂપારેલીયા)દ્વારકા : પાકિસ્તાન મરીન દ્વારા ચાચિયાગીરી કરી વધુ 10 બોટ સાથે 60 જેટલા ભારતીય માછીમારોને સમુદ્રમાં બંધક બનાવ્યાના સમાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અરબી સમુદ્રમાં હાહાકાર મચાવી રહી છે. 24 કલાક માં કુલ 13 બોટ બંધક બનાવી હોવાના અહેવાલો વચ્ચે ગઈકાલે 3 ફિશિંગ બોટ અને 18 માછીમારો ને પાકિસ્તાન લઈ જવાયા હતા અને અત્યારે હજુ સમુદ્રમાં કુલ 10 બોટ સાથે 60 માછીમારો ને બંધક બનાવી રાખ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પાક મરીન દ્વારા બંધક બનાવાયેલી બોટમાં મોટાભાગની ઓખા, પોરબંદરની બોટો હોવાની શક્યતા દર્શવાવામાં આવી છે. મોડી રાત સુધીમાં હજુ વધુ બોટોના આંકડા સામે આવે તેવી શકયતા જોવાઇ રહી છે.