દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મીડિયા સેલના કન્વીનર તરીકે હિતેન્દ્રભાઈ આચાર્યની નિયુક્તિ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મીડીયા સેલના કન્વીનર તરીકે ખંભાળિયાના પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્યની નિમણૂક કરવામાં આવી છે.

નવનિયુક્ત જિલ્લા કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્ય છેલ્લા અનેક દાયકાઓથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ રાજ્ય આચાર્ય સંઘના મીડિયા સેલ કન્વીનર, દેવભૂમિ દ્વારકા જીલ્લા આચાર્ય સંઘ તેમજ ખંભાળિયા શહેર તાલુકા શાળા સંગઠન શિક્ષણ સંકુલના કન્વીનર તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ સાથે તેઓ બ્રહ્મ સમાજના અગ્રણી તથા સામાજિક સંસ્થાઓમાં હોદ્દેદાર તરીકે પણ કામગીરી કરી રહ્યા છે.

તેમની આ વરણીને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ખીમભાઈ જોગલ, મયુરભાઈ ગઢવી વિગેરેએ આવકારી છે.